સો કામ છોડીને સ્નાન કરી લેવું, હજાર કામ છોડીને ભોજન કરી લેવું,
લાખ કામ છોડીને દાન કરી લેવું અને કરોડ કામ છોડી ભક્તિ (સત્સંગ) કરી લેવી.

શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૧૭ શ્લોક ૨૦માં દાનની વ્યાખ્યા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને આપેલી છે. દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યકિતને જે અપાય છે તેને સાત્ત્વિક દાન કહે છે. દાનની આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી. દરેકે પોતાની જાતને પૂરી પ્રામાણિકતાથી એક પ્રશ્ન હૃદય ઉપર હાથ મૂકી પ્રભુસાક્ષીએ પૂછવાનો છે. અત્યાર સુધી મેં કેટલું દાન કર્યું ? દરેકે પોતાની કુલ આવકના એ દૈનિક, માસિક કે વાર્ષિક પણ હોઈ શકે છે તેના દસ ટકા ધર્માદા કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. શક્તિ મુજબ દાન કરવાનું આજથી શરુ કરીયે. આપણી ઉમાપુરમ સંસ્થામાં નીચે મુજબના દાન આવકાર્ય છે.


DONATION

શ્રી ઉમિયા માતાજી મંદિરના વાર્ષિક દાનની યાદી

શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા માતાજીમાં ભક્તિ, પવિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે સામાજીક અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા આયોજીત આવા ધાર્મિક કાર્યો માટે આપ યથા શક્તિ પ્રમાણે દાન આપી સહભાગી બની શકો છો.

વાર્ષિક 11000 રૂપિયા

માતાજીની ચુંદડી અને અન્ય દેવી દેવતાના વાઘા ના દાતા

વાર્ષિક અગિયાર હજાર રૂપિયા ભરી, તમે માતાજીની ચુંદડી અને અન્ય દેવી દેવતાના વાઘા ના દાતા જે તે વર્ષ માટે બની શકો છો.

  • શ્રી ઉમિયા માતાજીની ચુંદડી.
  • શ્રી રાધે કૃષ્ણ ના વાઘા.
  • અન્ય દેવી દેવતાઓના વાઘા.
અખંડ જ્યોત ના દાતા
Rs.5100

વાર્ષિક પાંચ હજાર એક સો રૂપિયા ભરી, તમે શ્રી ઉમિયા માતાજીની અખંડ જ્યોત ના દાતા એક વર્ષ માટે બની શકો છો.

પુનમના મહાપ્રસાદ ના દાતા
Rs.3500

વાર્ષિક ત્રણ હજાર પાંચ સો રૂપિયા ભરી, તમે પુનમના મહાપ્રસાદ ના દાતા બની શકો છો.

સાકર પ્રસાદના દાતા
Rs.3000

વાર્ષિક ત્રણ હજાર રૂપિયા ભરી, તમે સાકર પ્રસાદ ના દાતા બની શકો છો.

ફુલહારના દાતા
Rs.2500

વાર્ષિક ૨૫૦૦રૂપિયા ભરી, તમે ફુલહાર ના દાતા બની શકો છો.

આજીવન ભોજન દાતા
Rs.2500

વાર્ષિક ૨૫૦૦ રૂપિયા ભરી, તમે આજીવન ભોજન દાતા બની શકો છો.

એક દિવસના ભોજન દાતા
Rs.250

વાર્ષિક ૨૫૦૦ રૂપિયા ભરી, તમે એક દિવસના ભોજન દાતા બની શકો છો.

વહેલા તે પહેલાના ધોરણે દાતાશ્રીઓ લાભ લઈ શકશે

જો આપ પણ ઉપરની યાદીમાંથી વાર્ષિક દાતા બનવાનો લાભ લેવા માંગતા હોય તો આપેલ નંબર પર સંપર્ક કરો અથવા ઉમાપુરમ કાર્યાલય ની મુલાકાત લો.

Contact +91 777 798 8839
First time visitor

Find out more about our social services.